Thursday 19 June 2014

આદિવાસી


આદિવાસી
આદિ કાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા. ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
ઇતીહાસ
આદિવાસી સમાજ માતુપ્રધાન છે. જેમાં કુટુંબ નાં મહત્વનાં નિર્ણયો મોડી આયો (દાદીમાં) લેતી હોય છે. કુટુંબનાં ભરણ - પોષણ નીં જવાબદારી પતિ - પત્નીં બન્ને જણ ઉપાડતા હોય છે સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલનં કરે છે તેમની રીત - .. રસમો અનોખી હોય છે.લગ્નવિધી
જેમાં છોકરો તેનાં પિતા અનેં કેટલાક સંબંધીઓ કન્યાનેં જોવા જાય છે. જો છોકરાનેં કન્યા ગમી જાયતો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતાં દહેજની રકમ નંક્કિ થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાયતો "પિયાણ દિવસ" (સગાઇ) નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તીથી નક્કી કરાય છે. અને તે દિવસે કન્યા જાન લઇનેં વરનાં ઘરે પરણવા જાય છે. સાંજ અથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાનેં જમાડતા પહેલા તેનીં થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અનેં ત્યાર પછીજ જમણ ચાલું થતુ. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેનાં મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાળા ની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે. (આદિવાસી સંસ્કુતીમાં મામા અને ફોઇ નાં બાળકો વચ્ચે લગ્નપ્રથા માન્ય છે)જન્મવિધી
અન્ય સંસ્કુતીઓની જેમં જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનોં હોય ત્યારે કન્યા તેનાં પિયર જાય છે અને ત્યાં બાળકનેં જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીનાં સુધી પિયરમાં રહે છે. એક મહીનાં બાદ બાળક નાં મામાં બાળક નાં માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.મરણવિધી
આદિવાસીઓ માં જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નીસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે. સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકિત નથી તેથી તે સ્મશાનં ની બહાર ઉભી રહીને તેનેં વિદાય આપે છે. શબ ને તેનાં મુળ્ દાગીનાં અને પસંદગી નીં વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓનીં જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિય સમાપ્ત થયા બાદ હાથપગ ધોઇનેં ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં 12 અથવા 40 દિવસ પછી તેની શોકસભા રખાય છે.ભાષા તથા વ્યાકરણ
આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતીજ સિમીત રહી શકી છે. આમ જોઇયેતો તમામં આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલી નાં ઘણાખરા શબ્દો આપણનેં થોડા સંસ્કુત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે.આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી, ધોડીયા બોલી, ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓ માં બહુવચન હોતુ નંથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમં તેમાં 12 કાળ, પુલ્લીંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે.આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે જેની સરખામણી આપણે આધુનીક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.

No comments:

Post a Comment